ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અખંડાર્થવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અખંડાર્થવાદ : સંસ્કૃતમાં થયેલી વાક્યવિચારણાઓમાં સ્ફોટવાદી વૈયાકરણોએ વેદાન્તીઓને અનુસરીને કરેલી અખંડાર્થવાદની વિચારણા પણ છે. વેદાન્તીઓની ઉપપત્તિ છે કે અખંડ બુદ્ધિ એટલે અખંડ જ્ઞાન. આ જ્ઞાન અખંડ વાક્ય દ્વારા જ નિર્માણ થાય છે. અર્થનું બોધક વસ્તુત : વાક્ય જ હોઈ શકે. પદ, વર્ણ વગેરે તો વાક્યના કાલ્પનિક ભાગ છે. જે રીતે પદોની દૃષ્ટિએ વર્ણોની અનિત્યતા છે, તે જ પ્રમાણે વાક્યની દૃષ્ટિએ પદોની અનિત્યતા છે. અખંડ બુદ્ધિથી ગ્રાહ્ય એવો વાક્ય-સ્ફોટ જ ખરેખર વાક્યાર્થ છે. ચં.ટો.