ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતિવાચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અતિવાચન(Overreading) : કોઈપણ સાહિત્યકૃતિના સઘન વાચન વખતે નિર્દેશો અને એના અર્થોનું શ્રમપૂર્વક અને દુરાકૃષ્ટ રીતે અતિવિસ્તરણ કરવામાં આવે ત્યારે આ દોષ જોવાય છે. સમગ્ર કૃતિના વાચન સંદર્ભે કે ચોક્કસ પરિચ્છેદોના વાચન સંદર્ભે આ વાત લાગુ પડી શકે. ચં.ટો.