ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અપટીક્ષેપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અપટીક્ષેપ : સંસ્કૃત રંગભૂમિના દિગ્દર્શનના ભાગરૂપ સંજ્ઞા. સંસ્કૃત રંગભૂમિ પર પૂર્વજાણ વગર પાત્ર પ્રવેશતું નથી. ‘તત : પ્રવિશતિ’ એવી જાણ સાથે જ પાત્ર પ્રવેશે છે. એને બદલે ભય, ઉતાવળ કે ક્રોધમાં પાત્ર પડદો ખસેડી એકાએક રંગભૂમિ પર પ્રવેશે ત્યારે એને માટે આ સંજ્ઞા વપરાય છે. ચં.ટો.