ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થઘટનાત્મક દોષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અર્થઘટનાત્મક દોષ (Interpretive fallacy) : લેખકના આશયને આધારે નહિ પરંતુ કૃતિની સામગ્રીને આધારે સાહિત્યિક અર્થનો નિર્ણય થવો જોઈએ. ઘણીવાર લેખકની બિનસાહિત્યિક અભિવ્યક્તિઓના આધાર પર કૃતિના અર્થને નિર્ણિત કરવામાં આવે છે. આ પ્રકારની પ્રક્રિયા અર્થઘટનાત્મક દોષ તરફ લઈ જાય છે. વિમ્સેટ અને બ્રેડલીનું આ મંતવ્ય છે. ટૂંકમાં, લેખકનો આશય એ કોઈપણ સાહિત્યકૃતિના મૂલ્યાંકન માટે કે એના વિવેચન માટે માપદંડ નથી. માત્ર આશય અને અર્થ વચ્ચેનો ભેદ નહીં, લેખનની ઇતર અભિવ્યક્તિમાં અવગત આશય વચ્ચે પણ ભેદ કરવાની જરૂર છે. ચં.ટો.