ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અસંગત અન્વય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અસંગત અન્વય (Anacoluthon) : આ સંજ્ઞા દ્વારા કોઈ એક જ વાક્યમાં જાણીજોઈને કે અકસ્માતે એક વિન્યાસથી બીજા વિન્યાસમાં પરિણમતો ફેરફાર નિદિર્ષ્ટ છે. રોજિંદી વાણીમાં તેમજ અસંપાદિત યા અસંમાજિર્ત લેખનમાં આ પ્રકારનો અસંગત અન્વયનો દોષ ઘણાખરા વહોરતા હોય છે. જેમકે ‘એ મારી પાસે આવ્યો અને – તમે મને સાંભળતા નથી.’ /‘તમે ચોક્કસ પ્રસન્ન....મારે તો તમારામાં રહેલું ઉત્તમ જોઈએ.’ ચં.ટો.