ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આઘાતનાટ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આઘાતનાટ્ય (Theatre of cruelty) : આઘાત તરીકાઓના ઉપયોગથી અને અ-ભાષિક વાતાવરણ વચ્ચે દુરિત અને યાતનાનું સંક્રમણ કરતું આ નાટ્યસ્વરૂપ ૧૯૩૦થી ’૪૦માં ફ્રેન્ચ પરાવાસ્તવવાદી અભિનેતા અને લેખક એન્તની આર્તોને સૂઝેલું. આવા નાટકને એ વિરેચનનું વિધિવિધાન માને છે. ચં.ટો.