ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપયોગિતાવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉપયોગિતાવાદ(Utilitarianism) : અઢારમી સદીમાં અસ્તિત્વમાં આવેલી આ નૈતિક અને મનોવૈજ્ઞાનિક વિચારધારા બધાં જ માનવકાર્યોને સમગ્ર માનવસમાજની ઉપયોગિતાના સંદર્ભમાં મૂલવે છે. એનો એક જ માપદંડ છે : ‘અધિકતમ વ્યક્તિઓનું અધિકતમ સુખ.’ આ વિચારધારાના પ્રચારક જેરેમિ બેન્થમ દુઃખની અપેક્ષાએ સુખને જીવનનો મૂળમંત્ર કહે છે. બેન્થમના મતાનુસાર વસ્તુની કામના વસ્તુના પોતાના સંદર્ભમાં નહીં પણ એ વસ્તુથી પ્રાપ્ત થનાર સુખને માટે કરાય છે. આમ એણે ઉપયોગિતાવાદ અને સુખવાદનો સમન્વય સાધવા પ્રયત્ન કરેલો. બેન્થમે આનો પ્રયોગ પ્રશાસન, કાનૂન તેમજ અર્થશાસ્ત્રક્ષેત્રે કર્યો છે. હ.ત્રિ.