ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિન્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિન્યાય (Poetic justice) : ટોમસ રાઈપર દ્વારા ૧૬૭૮માં આ સંજ્ઞા પ્રચારમાં મુકાઈ. સાહિત્યમાં નૈતિક દૃષ્ટિબિંદુ પ્રગટ થવું જોઈએ એ મતનું પ્રતિપાદન એના દ્વારા થાય છે. સતનો જય અને અસતનો ક્ષય નિરૂપવાની સાહિત્યની જવાબદારી છે એવી આ માન્યતાનો વાસ્તવવાદી વિવેચના દ્વારા અસ્વીકાર થયો છે. પ.ના.