ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યની ગેયતા અને અગેયતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search



કાવ્યની ગેયતા અને અગેયતા : રા.વિ. પાઠક ‘આલોચના’(પૃ. ૧૮૩)માં સ્પષ્ટ કરે છે કે ગદ્યની પંક્તિ પણ પૂરેપૂરી ગાઈ શકાય છે. પણ કાવ્યની ગેયતા અગેયતામાં ભિન્ન દૃષ્ટિ હોય છે. અર્વાચીન સમયમાં આપણે અગેય કવિતાનો ખ્યાલ કર્યો તે પહેલાં કવિતા માત્ર આપણે ત્યાં ગવાતી. કાવ્યની અગેયતાનો ખ્યાલ અંગ્રેજી સાહિત્ય પરથી આવેલો અર્વાચીન ખ્યાલ છે. આથી જ શુદ્ધ કવિતા સંગીતથી સ્વતંત્ર છે એ વિચારને ન્હાનાલાલ અને બ. ક. ઠાકોરે આગળ કર્યો છે. છંદોમાં માત્રામેળ વૃત્તોમાં સંધિઓનાં આવર્તનો હોવાથી આ રચનાઓ ગેયતામાં વહેલી સરી પડે છે. એના સંધિઓ સંગીતના તાલો સાથે સંબંધ ધરાવે છે. એમને મતે સૌથી વધારે અગેય અનાવૃત્ત સંધિ અક્ષરમેળ વૃત્તો છે, જ્યાંથી ઠાકોરે સળંગ અગેય રચના માટે પૃથ્વી છંદ પસંદ કરેલો છે. ચં.ટો.