ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યપરકગદ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search



કાવ્યપરકગદ્ય/રાગયુક્તગદ્ય (Poetic prose) : ઘણી કાવ્યપ્રવિધિઓનો વિનિયોગ કરતું અલંકૃત અને પરિષ્કૃત ગદ્ય. સ્વરવ્યંજનસંકલનાથી નીપજેલી લયની વિવિધ તરેહો સહિતનું તેમજ કલ્પનપ્રતીકાદિ સામગ્રીની રમણીય સંદિગ્ધતા સહિતનું, લઘુકૃતિઓમાં કે પ્રલંબકૃતિઓના નાના પરિચ્છેદોમાં પ્રયોજાતું આ ગદ્ય ‘ભાવાત્મક તાપમાન’ ઊભું કરવાના ઉપાદાનરૂપ હોય છે. જેમકે મુકુન્દ પરીખની નવલકથા ‘મહાભિનિષ્ક્રમણ’ના અનેક ગદ્યખંડો. ચં.ટો.