ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



કાવ્યવાદ (Poetism) : માર્ક્સવાદી સિદ્ધાન્તકાર કરીલ તીગે (Karel Teige) આ વાદનો પુરસ્કાર કર્યો. એમના આ વાદ મુજબ કવિએ શહેરીજીવનના ઇન્દ્રિયજન્ય આનંદોને અને શહેરીજીવનના નવા યાંત્રિક અનુભવોને નિરૂપ્યા. આ વાદે શ્લેષમાં વ્યક્ત થયેલ કાવ્યશબ્દનો અને અન્ય શબ્દરમતનો પણ સ્વીકાર કરેલો. દાદાવાદ અને ઇટાલિયન ભવિષ્યવાદથી પ્રભાવિત આ વાદ છેવટે ઝેક પરાવાસ્તવવાદમાં ભળી ગયો. ચં.ટો.