ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કેમ્બ્રિજ સંપ્રદાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કેમ્બ્રિજ સંપ્રદાય (Cambridge school) : ૧૯૨૦ અને ૧૯૩૦ વચ્ચે યુનિવર્સિટી ઓવ કેમ્બ્રિજ સાથે સંલગ્ન અંગ્રેજી વિવેચકોના પ્રભાવશાળી જૂથસંદર્ભે આ સંજ્ઞા પ્રચલિત થઈ છે. આ જૂથના અગ્રણીઓમાં આઈ. એ. રિચર્ડ્સ, એફ. આર. લીવિસ, ક્યુ. ડી. લિવિસ, વિલ્યમ એમ્પસન હતા. કોલરિજ અને ટી. એસ. એલિયટના વિવેચનવિચારોની અસર હેઠળ આ જૂથના વિવેચકોએ જીવનકથાત્મક અને ઐતિહાસિક વિવેચન રીતિઓને ત્યજીને ‘સઘન વાચન’ની તરફેણ કરેલી. કવિતાને એમણે વિચાર અને વાણીના પુન : સંયોજન રૂપે જોયેલી તેમજ એની સંકુલતા અને જટિલતાને પુરસ્કારેલી. ચં.ટો.