ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચરિત્રદોષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચરિત્રદોષ (Hamartia) : અજ્ઞાનને લીધે અથવા કોઈક ક્ષણિક દૌર્બલ્યને લીધે પાત્ર દ્વારા નિર્ણય લેવામાં કરાતી સૂચક ભૂલ. ઍરિસ્ટોટલ ‘પોએટિક્સ’માં કરુણાન્તિકાના નાયક (tragic hero)નાં લક્ષણોની ચર્ચામાં આ સંજ્ઞા પ્રયોજે છે. તે અનુસાર આ પ્રકારના નાટકનો નાયક ઉપર મુજબની કોઈ વ્યક્તિગત ભૂલને કારણે પોતાનું દુર્દૈવ નોતરે છે. પ.ના.