ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચૈત્યવંદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચૈત્યવંદન : સાધુ કવિઓ દ્વારા પ્રયુક્ત બૌદ્ધસ્તૂપ-ચૈત્ય અને જિનાલયનાં વર્ણન-સ્તુતિ કરતો ઢાળબદ્ધ મધ્યકાલીન કાવ્યપ્રકાર. તીર્થંકરની મૂર્તિને નમસ્કાર તથા દેરાસરની પ્રદક્ષિણા કરતી વેળા તીર્થંકરનું માહાત્મ્ય પણ એમાં ગવાતું હોય છે. ચૈત્યવંદનનું ગાન ધાર્મિકવિધિ રૂપે થાય છે. ર.ર.દ.