ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તદ્દગુણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તદ્ગુણ : ઉજ્જ્વળ ગુણના સંપર્કથી જ્યારે કોઈ વસ્તુ પોતાનો મૂળ ગુણ છોડીને એ ઉજ્જ્વળ ગુણને ધારણ કરે છે ત્યારે તદ્ગુણ અલંકાર બને છે. જેમકે ‘સૂર્યના અશ્વો અરુણના સંપર્કથી પોતાના મૂળ રંગનો ત્યાગ કરીને લાલ વર્ણના બન્યા બાદ, નીલ કાંતિવાળાં રત્નોની કાંતિના સંપર્કથી એ લાલ વર્ણનો ત્યાગ કરીને ફરીથી પોતાના (મૂળ) નીલ વર્ણને મેળવે છે.’ જ.દ.