ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દરબારી કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દરબારી કવિ (Bard, Minstrel) : આ સંજ્ઞા તેના વિશાળ અર્થમાં રાજવી કુંટુંબની પ્રશંસા કરતી ગેયરચનાઓના કવિ ગાયક માટે વપરાય છે. મધ્યકાળમાં રાજકવિ તરીકે રાજાના દરબારમાં વ્યાવસાયિક ધોરણે કવિઓ કાવ્યસર્જન કરતા. ગુજરાતમાં ચારણો-બારોટો આ પ્રકારનું સ્તુતિકારનું કાર્ય કરતા. યુરોપમાં દરબારી કવિ એકસાથે કવિ, પ્રશસ્તિકાર અને વહીવંચાની કામગીરી બજાવતો; જ્યારે આપણે ત્યાં વહીવંચા કે વંશાવળી જાળવનાર બારોટોનો વર્ગ જુદો હતો. આ કવિઓ રાજદરબારમાં જાહેરમાં રાજકીય ઘટનાઓ પર આધારિત ગેયરચનાઓ રજૂ કરતા. તેમની રચનાઓમાં હકીકત અને કલ્પના કોઈ એક બિન્દુએ સેળભેળ થઈ જતી હોવાથી તેનું દસ્તાવેજી મૂલ્ય ઓછું સ્વીકારાયું છે. પ.ના.