ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નામાન્તરન્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નામાન્તરન્યાસ (Antonomasia) : વિશેષનામને સામાન્યનામ તરીકે ઉપયોગમાં લેવામાં આવે એ નામાન્તરન્યાસ છે, જેમકે કોઈના જુલમી વ્યક્તિત્વને લક્ષમાં રાખી એને ‘હિટલર’ કહીએ કે ‘વિદ્યાપતિ અભિનવ જયદેવ છે’ એવું વિધાન કરીએ ત્યારે આ પ્રવિધિનો ઉપયોગ કરીએ છીએ. ચં.ટો.