ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરાસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરાસાહિત્ય (Paraliterature) : શિષ્ટ સાહિત્ય સાથે સામ્ય હોવા છતાં કેટલાક સાહિત્યને ઉપસાહિત્ય ગણીને શિષ્ટસાહિત્યની નિકટવર્તી સીમાઓ પર ખસેડવામાં આવે છે; આ પરાસાહિત્ય છે. એમાં લોકપ્રિય એવાં નવલકથા અને નાટ્યસાહિત્યનાં સ્વરૂપો, બાળકોની સાહસકથાઓ-રહસ્યકથાઓ, અશ્લીલ સાહિત્ય, ટેલિવિઝન અને રેડિયો-નાટકો વગેરનો સમાવેશ કરવામાં આવે છે. ચં.ટો.