ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિભાવ દોષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રતિભાવ દોષ (Affective fallacy) : ડબલ્યૂ. કે. વિમસેટે અને બીડ્ઝ્લીએ ભાવક પર થતી કવિતાની પ્રતિક્રિયા, ખાસ તો સંવેગાત્મક પ્રતિક્રિયાને આધારે કાવ્યની મૂલવણી કરવાના આ દોષને પ્રતિભાવાત્મક દોષ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે. આ દોષને કારણે કૃતિના કૃતિત્વનો છેદ ઊડી જાય છે અને વિવેચન વસ્તુલક્ષી બનતું અટકી મુખ્યત્વે સંસ્કારવાદિતા અને સાપેક્ષવાદિતામાં જઈને અટકે છે. આ રીતે ભાવકની પ્રતિક્રિયાના સંદર્ભમાં કૃતિની મૂલવણીનો વિવેચનદોષ, સર્જકના આશયના સંદર્ભમાં કૃતિની મૂલવણીના વિવેચનદોષના સામા છેડાનો છે. ચં.ટો.