ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રશસ્તિકાવ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રશસ્તિકાવ્ય : પોતાના ‘કાવ્યાલંકાર’ નામક ગ્રન્થના સોળમા અધ્યાયમાં કાવ્યભેદોની સ્પષ્ટતા કરતાં આચાર્ય રુદ્રટે ‘પ્રશસ્તિકાવ્ય’ ભેદનો ઉલ્લેખ કર્યો છે જેમાં રાજકુલનું યશોગાન થતું હોય છે. ચં.ટો.