ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાગવતપુરાણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ભાગવતપુરાણ : આ ગ્રન્થને શ્રીમદ્ ભાગવત પણ કહેવાય છે. પાંચમી કે છઠ્ઠી સદીમાં રચાયેલા આ ગ્રન્થમાં ૧૨ સ્કંધ છે, ૩૫૫ અધ્યાયો છે અને ૧૮૦૦૦ શ્લોકો છે. વિષ્ણુઅવતાર સમા કૃષ્ણના જીવન અને એનાં પરાક્રમોનું વર્ણન આ ગ્રન્થના કેન્દ્રમાં છે. વળી એમાં કલિયુગ અંગેની આગાહીઓ છે. અહીં એક વાત નોંધવા જેવી છે કે ક્યાંય અહીં રાધાનો ઉલ્લેખ નથી. ભાષા, શૈલી અને છંદને કારણે આ ગ્રન્થ પુરાણોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વિષ્ણુપુરાણની સામગ્રી, સાથે અહીંની સામગ્રીનું ઘણું સામ્ય જોઈ શકાય છે. પ્રેરણાદાયી ભક્તચરિત્રો, ભાવસભર સ્તુતિઓ, અત્યંત સરળ ભાષામાં જીવ-જગતજગદીશનો પરિચય, કૃષ્ણલીલાઓનું નિરૂપણ વગેરે દ્વારા ભક્તિનો પ્રવાહ વહેવડાવનાર આ પુરાણનો દશમસ્કંધ વૈષ્ણવોમાં લોકપ્રિય છે. હ. મા.