ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવનસન્ધિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાવસન્ધિ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં એકસાથે સમાન ચમત્કારી બે ભાવોની સંધિને ભાવસન્ધિ કહે છે. અહીં ભાવો અવિરોધી કે એક જ પ્રકૃતિના હોવા જોઈએ એવું જરૂરી નથી. વિરોધી ભાવો વચ્ચે પણ સંધિ થઈ શકે છે. કાલિદાસની પંક્તિ ‘न ययौ न तस्यौ’ આનું ઉદાહરણ છે. ચં.ટો.