ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવવર્ણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાવવર્ણ (Tonecolour) : કૃતિમાંથી પ્રગટ થતો ભાવ સર્જકનાં વૈચારિક કે ઊર્મિગત વલણોનું વહન કરતો હોય છે; આ ભાવ (Tone)નાં વર્ણવિષયક સાહચર્યોથી જે સૌંદર્યાનુભૂતિ જન્મે છે તેનું આ સંજ્ઞા દ્વારા સૂચન થાય છે. જેમકે વિષાદ સાથે શ્યામ વર્ણનું કે શૌર્ય સાથે કેસરી વર્ણનું સાહચર્ય એ ભાવવર્ણનાં પ્રસિદ્ધ ઉદાહરણો છે. ચં.ટો.