ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવશબલતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ભાવશબલતા : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં, એક ભાવની સાથે બીજા અનેક ભાવોની ઉપસ્થિતિ કે એક પછી એક શૃંખલાબદ્ધ ભાવનું મિશ્રણ થાય એને ભાવશબલતા કહે છે. વિતર્ક, ઔત્સુક્ય, સ્મૃતિ, શંકા, ચિંતા-વગેરે અનેક ભાવોનું મિશ્રણ જોવા મળે છે. ચં.ટો.