ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મંગલાચરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મંગલાચરણ : પોતાનો ગ્રન્થ નિર્વિઘ્ન પૂરો થાય એ માટે ગ્રન્થકર્તા ઈશ્વરની સ્તુતિ કે ઇષ્ટદેવની આરાધના કરે છે. અને પોતાના દુષ્કર કાર્યને પાર પાડવાની શક્તિ કે પ્રતિભા માટે યાચના કરે છે; સાથેસાથે લોકમંગલની પણ કામના કરે છે. આ અંગે ગ્રન્થના આરંભે આવતા પદ્યને મંગલાચરણ કહે છે. ચં.ટો.