ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મંગલાષ્ટક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મંગલાષ્ટક : નવ વરવધૂને લગ્નને અંતે એમના શ્રેય અને મંગલ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આઠ શ્લોકોમાં આશીર્વાદ ઉચ્ચારતી આ પ્રકારની રચનાને મંગલાષ્ટક કહે છે. ઘણીવાર એમાં એમના પરિવારના સભ્યોનાં નામ ગૂંથી લેવાની પણ પ્રથા છે. ચં.ટો.