ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યક્તિત્વવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્યક્તિત્વવાદ(Personalism) : આ વાદ નથી, એક વૃત્તિ છે. જીવનમાં મૂલ્યોનો સંબંધ વ્યક્તિત્વ સાથે છે અને વ્યક્તિત્વ હંમેશાં મૂલ્યોની શોધમાં હોય છે. માનવવ્યક્તિત્વની એ મહત્તા છે. આથી માનવવ્યક્તિત્વની પવિત્રતા અને સ્વતંત્રતાનો ઉચ્છેદ કરવાનો પ્રયાસ કોઈપણ વ્યક્તિત્વવાદી સાંખી શકે તેમ નથી. ચં.ટો.