ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંગીતીકરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંગીતીકરણ(Musicalisation) : ફ્રેન્ચ પ્રતીકવાદી માલાર્મે અને વાલેરી જેવા કવિઓના મનમાં સંગીતકાર વાગ્નેરના પ્રભાવ હેઠળ સંગીતનો આદર્શ કવિતાના આદર્શ તરીકે સ્થિર થયો છે. તેઓ દૃઢપણે માને છે કે સંગીત અને કવિતા એક જ ધ્યેય સિદ્ધ કરવા માગે છે. આથી તેઓ સંગીતના માધ્યમની શુદ્ધિ અને ભાષાની અશુદ્ધિઓનો વારંવાર વિચાર કરી સંગીતના સ્વરોની પરસ્પરસંવાદિતા અને સંગતિની જેમ શબ્દોનું સંગીતીકરણ ઇચ્છે છે. ચં.ટો.