ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમભાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સમભાવ(Sympathy) : કૃતિમાં નિરૂપાયેલા ભાવ, વિચાર કે પાત્ર સાથે ભાવાત્મક એકરૂપતાનો ભાવકને થતો અનુભવ આ સંજ્ઞા દ્વારા સૂચવાય છે. આ જ રીતે કૃતિમાં પ્રગટ થતા ભાવ, વિચાર કે પાત્રમાં પોતાની જાતનું પ્રેક્ષપણ કરવાના ભાવકના વલણને અન્તઃક્ષેપ (Empathy) તરીકે ઓળખવામાં આવે છે. વિવેચનમાં આ બન્ને સંજ્ઞાની એકસાથે ચર્ચા કરવામાં આવે છે. ચં.ટો.