ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમુચિતતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સમુચિતતા(Decorum) : પ્રમાણ અને ઔચિત્યના સંદર્ભમાં આ સંજ્ઞાને સૌન્દર્ય સાથે સાંકળવામાં આવે છે. ગિરાલ્ડિ સિન્થિઓ લખે છે : ‘સમુચિતતા બીજુ કશું નથી પરંતુ રમણીયતા અને વસ્તુની સપ્રમાણતા છે. એને માત્ર કાર્યના સંદર્ભમાં નહિ પરંતુ મનુષ્યો વચ્ચેની ઉક્તિપ્રયુક્તિ સંદર્ભે પણ મૂલવવી જોઈએ. વળી માત્ર સમગ્ર કૃતિની અખિલાઈના સંદર્ભમાં જ નહિ પરંતુ પ્રત્યેક અંગના સંદર્ભમાં એનો વિચાર થવો ઘટે’. પ.ના.