ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્થલદોષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્થલદોષ(Anachorism) : કોઈક પ્રસંગ, દૃશ્ય, પાત્ર કે શબ્દનો તેના સાહજિક સંદર્ભમાં વિનિયોગ ન કરતાં અપ્રતીતિકર એવા સંદર્ભમાં તેની રજૂઆત કરવી તે. જેમકે મધુ રાયની ટૂંકી વાર્તા ‘ઇંટોના સાત રંગ’માં હરિયાનું પેરિસ જવું – એ સહેતુક, ચોક્કસ પ્રયોજનથી આલેખાય છે. સ્થલદોષને એક પ્રવિધિ તરીકે સહેતુક અને અજાણતાં થતા દોષ તરીકે જે તે કૃતિના સંદર્ભમાં તપાસી શકાય. પ.ના.