ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વકેન્દ્રી ઉદાત્તતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વકેન્દ્રી ઉદાત્તતા(Egotistical Sublime) : વડ્ઝવર્થની કવિતાના એક મુખ્ય લક્ષણની ચર્ચા કરતાં કીટ્સે આ સંજ્ઞા પ્રયોજી. આ સંજ્ઞા કૃતિમાં પ્રતિબિંબિત થતા સર્જકના ‘હું’-પદનો નિર્દેશ કરે છે. વિશેષ કરીને ‘આત્મકેન્દ્રી’ કવિમિજાજનું અહીં સૂચન છે. ચં.ટો.