ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વભાવોક્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વભાવોક્તિ(Diatyposis) : સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પ્રમાણે સૂક્ષ્મનિરીક્ષણ અને અભિવ્યક્તિપટુતાથી થયેલું, જાતિગત કે સ્વભાવગત વિશેષતાનું ચમત્કૃતિપૂર્ણ યથાવત્ કે સમ્યક્ વર્ણન સ્વભાવોક્તિ છે. ગ્રીક અને યુરોપીય પરંપરામાં પણ તાદૃશ અને પ્રત્યક્ષ વર્ણન માટે આ અલંકારની ઓળખ થયેલી છે. ‘કાન્ત’નાં ‘ચક્રવાકમિથુન’માં પંખીચેષ્ટાઓનું વર્ણન કે સુરેશ હ. જોષીની ટૂંકી વાર્તા ‘ચુમ્બન’માં ઊંદરની ચેષ્ટાઓનું વર્ણન સ્વભાવોક્તિનાં ઉદાહરણ છે. ચં.ટો.