ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ધીરજલાલ અમૃતલાલ ભટ્ટ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ધીરજલાલ અમૃતલાલ ભટ્ટ

એઓ જ્ઞાતે પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ છે. વતની ધંધુકા તાલુકે, રોજકા ગામના; પિતાનું નામ અમૃતલાલ વિઠ્ઠલજી ભટ્ટ અને માતાનું નામ જુઠીબા છે. એમનો જન્મ રોજકામાં તા. ૧૪ મી ઑગષ્ટ ૧૮૮૯ ના રોજ થયો હતો. એમનું લગ્ન સને ૧૯૦૩ માં ધનાળા ગામે થયું હતું. એમના પત્નીનું નામ આનંદબાઇ છે. એઓએ અમદાવાદ મેલ ટ્રેનિંગ કૉલેજની થર્ડ ઇયરની પરીક્ષા પાસ કરેલી છે. તે પહેલાં કાશી, વડતાલ, ભરૂચ મુંબાઈ વગેરે સ્થાનોમાં રહીને સંસ્કૃતનો અભ્યાસ ખાસ વધારેલો હતો. અત્યારે તેઓ દક્ષિણ દસ્ક્રોઈના વાંચ ગામની શાળાના હેડમાસ્તર છે. એમના અભ્યાસનો પ્રિય વિષય વેદાંત, ઉપનિષદ્‌ છે; અને સ્વ. ગોવર્ધનરામભાઈ, સ્વ. કમળાશંકરભાઈ અને સ્વ. રણજીતરામે એમના જીવન પર ખૂબ અસર કરેલી તેઓ કહે છે. પોતે મળી શકે એટલું સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યનું ઉંચું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, હિંદી મરાઠી અને બંગાળીનો સતત્‌ અભ્યાસ કરીને તે ખૂબ વધાર્યું છે; એટલું જ નહિ પણ એક શિક્ષક તરીકેનું કર્તવ્ય અદા કરવા સાથે જનતાને વાચનદ્વારા જ્ઞાન આપવાનું કાર્ય સામયિક માસિકોમાં લેખો લખીને તથા પુસ્તકો લખીને ચાલુ રાખ્યું છે, તે એમની નીચેની કૃતિઓ પરથી જણાશે.

: : એમની કૃતિઓ : :

૧. રાજપૂતોનો રણયજ્ઞ સન ૧૯૧૮
૨. પેશાવરની પદ્મિની  ”  ૧૯૨૦
૩. આદર્શ ચરિત્રાવળી  ”
૪. અબળાની આત્મકથાઓ  ”  ૧૯૨૧
૫. આનંદ લહરી  ”
૬. ધીરજનાં કાવ્યો  ”  ૧૯૨૩
૭. વનિતાની વાતો  ”  ૧૯૨૪
૮. કલંદરની કટાર, ભા ૪ થો  ”
૯. લાલચીન  ”  ૧૯૨૫
૧૦. બાળ કવિતાઓ (બાલોપયોગી)  ”  ૧૯૧૬
૧૧. ગુરૂ ભક્તિ (બાલોપયોગી)  ”  ૧૯૨૨