પરકીયા/હિસયાંગ કાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હિસયાંગ કાઓ

સુરેશ જોષી

પેલી ઝાકઝમાળ બારી આગળ
બેઠેલાં બે જણ કોણ છે?
હું અને મારી છાયા – અમે બે માત્ર.

દીવા જ્યારે બુઝાઈ જશે,
જ્યારે સૂઈ જવાની વેળા થાશે
જ્યારે મારી છાયા સુધ્ધાં
મને તરછોડીને

મારાથી ક્યાંક દૂ…ર…દૂ…ર
લપાઈ જશે.

એવો દુ:ખી છું હું, આવી છે મારી યાતના!