બરફનાં પંખી/કવિનું અકાળે મૃત્યુ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કવિનું અકાળે મૃત્યુ

સમુદ્રના ખારા પવનથી
ચિક્કાર ભરેલા
દિવાનખાનામાં
પિયાનોની કાળી ચાલના
પગથિયાં ઊતરતી
પીળી આંગળીઓ
એકાએક અટકી પડી.
અમે બે મિનિટની દાબડીમાં
અમારું મૌન ગોઠવીને ઊભાં રહ્યાં
પણ
શબ્દ-સરોવરના હંસ!
તમે ક્યાં ચાલ્યા?
બેસો. બેસો.
આ તો
રાજાબાઈ ટાવરના
કાંટા ઉપર કબૂતર બેઠું ને
સાડા પાંચ વાગ્યા.

***