બાળ કાવ્ય સંપદા/તારા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
તારા

લેખક : ન્હાનાલાલ
(1877-1946)

ગણ્યા ગણાય નહિ.
વીણ્યા વિણાય નહિ.
છાબડીમાં માય નહિ.
તોય મારા આભલામાં ન્હાય.

આકાશે પલકે
ને ઝીણું ઝીણું મલકે.
અંધારી રાતે એ દેવ કેરી આંખો,
નાનકડી ઉઘાડે તેજ કેરી પાંખો.