બાળ કાવ્ય સંપદા/ભારત નિશાન
ભારત નિશાન
લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)
નહિ નમશે નહિ નમશે નિશાન
ભારતની એ ધર્મધ્વજાનું
ઐક્યતણો એ અમરપટો છે
ભારત માના મંદિર પર એ,
ચક્ર સુદર્શન અંકિત એ તો
સફેદ લીલું લાલ ત્રિરંગી
સફેદમાં સહુ ધર્મે ધાર્યું
લીલામાં ઇસ્લામી ધર્મે
લાલ સનાતન આર્ય પ્રજાનું
અચળ અમારે આંગણ એ તો
સાચા હિન્દી શૂરાઓનું
નિર્ભયતાની નોબત છે એ
જગ ઉદ્ધારક ઝળકે એમાં
એની ટેક નિભાવા કાજે