બાળ કાવ્ય સંપદા/મને કહોને
Jump to navigation
Jump to search
મને કહોને
લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)
મને કહોને પરમેશ્વર કેવા હશે !
ક્યાં રહેતા હશે, શું કરતા હશે !
ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજ ને
આંબાની ઊંચી ડાળી ચડીને,
મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,
ઊંડા સાગરનાં મોજાં ઉછાળી,
મનેય મારી માડીને ખોળે,