બૃહદ છંદોલય/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિવેદન
૨૦૧૮ની નવી આવૃત્તિ પ્રસંગે

‘છંદોલય’ની આ ૨૦૧૮ની નવી આવૃત્તિ અગાઉની ૧૯૭૪ અને ૧૯૯૭ની આવૃત્તિઓ તથા ૨૦૦૧ના પુનર્મુદ્રણનું માત્ર પુનરાવતિ નથી. ત્યાર પછી ૨૦૦૭માં ‘પુનશ્ચ’ અને ૨૦૧૨માં ‘૮૬મે’ એમ બે નવા કાવ્યસંગ્રહો પ્રગટ થયા હતા. ‘છંદોલય’ની ૨૦૧૭ની આ નવી આવૃત્તિમાં આ બે કાવ્યસંગ્રહોની પૂર્તિ કરવામાં આવી છે તેની નોંધ લેવા વાચકોને અને ગ્રાહકોને વિનંતી છે.

૨ ઑક્ટોબર ૨૦૧૭
નિરંજન ભગત
 
નોંધ

શ્રી નિરંજન ભગતનું અવસાન તા. ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ થયું. તે સમયે ‘છંદોલય’ શીર્ષક અંતર્ગત તેમના સમગ્ર કાવ્યોનો એક ગ્રંથ પ્રકાશિત કરવાનું કામ ચાલું હતું. ‘૮૬મે’ કાવ્યસંગ્રહ પછી સર્જાયેલા આશરે વીસ કાવ્યો તેમણે તે માટે આપેલાં. તેમના અવસાન પછી બાકીના કાવ્યો શોધવામાં રાજેન્દ્ર પટેલની મદદ લેવામાં આવી અને બીજા દસ કાવ્યો મળ્યાં. જે તેમણે આપેલા વીસ કાવ્યો સાથે જોડવામાં આવ્યાં. આમ ‘અંતિમ કાવ્યો’ના શીર્ષક હેઠળ કુલ ૩૦ કાવ્યો અહીં સંગ્રહિત કરવામાં આવ્યાં છે. હવે ‘બૃહદ છંદોલય’ હેઠળ નિરંજન ભગતના સમગ્ર કાવ્યોનો આ સંચય કરવામાં આવ્યો છે.

પ્રકાશક