ભારતીયકથાવિશ્વ-૩/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિવેદન

‘ભારતીય કથાવિશ્વ’ના પહેલા બે ભાગ પ્રગટ કર્યા પછી આ ત્રીજો ભાગ પ્રગટ કરતાં આનંદ અનુભવું છું. આ સમગ્ર પ્રકલ્પમાં ગુલામમોહમ્મદ શેખ, હસમુખ શાહ સાથે ને સાથે રહ્યા છે. આવી યોજના મિત્રોના સાથ અને સહકારથી નિવિર્ઘ્ને પાર પાડી શક્યો છું, આ માટે ચીમનભાઈ મહેતા, જયદેવ શુક્લ, હસુ યાજ્ઞિક, રાજેશ પંડ્યા, વીનેશ અંતાણી, બકુલ ટેલર, શરીફા વીજળીવાળા, પીયૂષ ઠક્કરનો આભાર માનતાં આનંદ થાય છે. ટૂંક સમયમાં ‘ભારતીય કથાવિશ્વ’નો ચોથો ભાગ પણ પ્રગટ કરીશું. શિરીષ પંચાલ

તા.૧-૫-૨૦૧૯