ભારતીય કથાવિશ્વ૧/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિવેદન

છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતીય કથાઓનું આકર્ષણ રહ્યું છે. આ કથાઓએ જગતભરની કથાઓને પ્રભાવિત કરી છે. આ કથાઓના સંપાદનને પ્રગટ કરવાની ઇચ્છાથી સમગ્ર યોજનાને પાંચ ગ્રંથોમાં વહેંચી છે : તેનો આ પહેલો ગ્રંથ ભાવકો સમક્ષ મૂકતાં ખૂબ જ આનંદ અનુભવું છું. આ સમગ્ર કથાવિશ્વમાં ઊંડો રસ લેવા માટે ગુલામમોહમ્મદ શેખ અને હસમુખ શાહનો કૃતજ્ઞતાપૂર્વક આનંદ અનુભવું છું. આ સમગ્ર યોજનાને આથિર્ક અનુદાન આપવા માટે શ્રી ચીમનભાઈ મહેતાનો ખાસ આભાર માનું છું. આવી યોજના મિત્રોના સાથસહકાર વિના સંપન્ન થાય જ નહીં. આ માટે હું જયદેવ શુક્લ, રાજેશ પંડ્યા, બકુલ ટેલર, પીયૂષ ઠક્કરને સતત યાદ કરતો જ રહ્યો છું. શિરીષ પંચાલ

તા.૧-૮-૨૦૧૮