મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૩)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૧૩)

નરસિંહ મહેતા

કેસરભીના કહાનજી, કસુંબે ભીની નાર
લોચન ભીનાં ભાવ-શું, ઊભાં કુંજને દ્વાર.

બેમાં સુંદર કોને કહીએ: વનિતા કે વ્રજનાથ?
નિરખું, પરખું પુરુષોત્તમને, માણેકડાં બેહુ હાથ.

વેગે કુંજ પધારિયા, લચકે થઈ ઝકઝોળ;
નરસૈંયાચો સ્વામી ભલે મળિયો, રંગ તણા બહુ રોળ.