મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૨)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૩૨)

નરસિંહ મહેતા

‘પલંગ-પાયે તને કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી;
માહરે મંદિર થકો કોણ મુકાવશે? શું કરશે પેલી શોક્ય કોપી?
પલંગ-પાયે
તું વનમાલી, ને હું કુસુમવન વેલડી, નીર નવ સીંચે તો શીદ રોપી?
ભમરલો હોય તે કુસુમ-મકરંદ-વશે, કમલ માંહે રહે પ્રાણ અરપી.
પલંગ-પાયે
પ્રીત કરવી ઘટે પ્રેમના પાત્ર-શું, તન-મન-ધન જે રહે રે સોંપી;
ભણે નરસૈંયો: એ રીસ જ્યમ ઊતરે તેહ ઉપાય તું કરને, ગોપી!
પલંગ-પાયે