મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૪)


પદ (૬૪)

નરસિંહ મહેતા

જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રીવિછોહ્યા મરી જાય રે, માય.
સંપત્ય-હીણ તે શબવત દીસે, મરે, ન જીવતા થાય ર, માય.

વિશ્વજનેતા સાગરતનયા હરિ-અર્ધાંગે તું, કમળાય.
કૃપાકટાક્ષે જુઓ અમ ઉપર; નરસિંયો કા વિસારિલા, માય?