મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૫૩.રામકૃષ્ણ


૫૩.રામકૃષ્ણ

રામકૃષ્ણ(૧૮મી પૂર્વાર્ધ)
આ પદકવિએ ગોપીૃકૃષ્ણ-પ્રીતિનાં સુંદર પદો રચ્યાં છે.
૨ પદો

આવે વહાલો લટકંતો ગોપાલ:
સાંજ સમે સુરભિ લઈ આગળ, દીનાનાથ દયા.          આવે૦

મોર-મુકુટ મકરાકૃત કુંડલ, નીલવટ તિલક રસાલ;
પલવટડી રે પીતાંબર કેરી, ઉર વૈજ્યંતી માલ.          આવે૦

જય જયકાર કરે સુર નર મુનિવર, ગુણ ગાયે ગોવાળ;
રામકૃષ્ણ રસ દિન દિન ચઢતો દીનાનાથ દયાળ.          આવે૦


હરિ શું કરીએ રે સંસારને, મુને વળગ્યા રે વરી પ્રાણ;
હું તો તમથી તેણે અળગી રે, મારા પ્રીતમ પરમ સુજાણ.          હરિ૦

મુને મોહનમુખ દીઠા વિના, મારી દુર્બળ થઈ છે દેહ;
રાત દિવસ જાએ ઝુરતાં, જોઉં છું ચાતક જલ મેહ.          હરિ૦

ચર્ણ તમારાં ચિત્ર ધરું, મારે હરનિશ એહ આધાર;
આવો રામકૃષ્ણ પ્રભુ પાતળા, મારી વહેતી તે કરજો. વાર.          હરિ૦