મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૬૦.રતનબાઈ


૬૦.રતનબાઈ

રતનબાઈ(૧૮મી સદી)
પીર કાયમુદ્દીનનાં આ શિષ્યા વોરા કવયિત્રી હતાં. એમણે જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યનાં પદો લખ્યાં છે.
૧પદ

આવીને પકડ્યો છે હાથ રે કાયમદીન પીર અમારા.
ડૂબી હતી હું તો ઘરધંધામાં, મુરશદે લીધી સંગાથ રે.          કાયમદીન૦

ધુણી ધિકાવી દીધી પ્રેમ-અગ્નિથી, લઢવા આવે ભરી બાથ રે.          કાયમદીન૦

લોકો ત મેણાં મુંને મારે ઘણેરાં, લઢવા આવે ભરી બાથ રે.          કાયમદીન૦

મુરશદ નામની માળા રે લીધી, છોડું કદી નહિ સાથ રે.          કાયમદીન૦

બાઈ રતનને મુરશદ મળીયા, એ જ અમારા છે નાથ રે.          કાયમદીન૦