મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભોજો પદ ૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૮

સંતો મુનિવરે મન સમજાયા,
સમજી ચાલ્યા શબ્દ સદ્ગુરૂકાતો પરબ્રહ્મકુ પાયા.          સંતો૦

પાંચકું મારી, પચીશકું વારી, કામ ક્રોધ હઠાયા;
હદ, બેહદ, અનહદ ગતિ આવી, કર્મવિનાની કાયા.          સંતો૦

કર્મધર્મની ભ્રમણા ભાગી, એક લાલનસે લેહે લાયા;
અવળા હુતા તે સવળા કીધા, લખિયા ફેર લખાયા.          સંતો૦

સુરતા સાંધીને ચાલ્યા અકાસી, અનહદ નાદ બજાયા;
આદ્ય હતા સો અંતે ઊઠી ધાયા, જઈ રૂપમાં રૂપ સમાયા.          સંતો૦

સૂક્ષ્મ વેદમાં સુરતા પહોંતી, બાવન બા’ર બુઝાયા;
ભોજો ભગત કહે ગુરુપ્રતાપે, જન્મમરણમાં ના’યા.          સંતો૦