રતન રૂસ્તમજી માર્શલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
Ratan Rustamji Marshal.jpg
રતન રુસ્તમજી માર્શલ (૧૪-૧૦-૧૯૧૧ – ૧૬-૦૧-૨૦૧૧) 

સુરતના વતની અને ભરુચમાં જન્મેલા રતન માર્શલ ‘ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ’ વિષય પર સંશોધન-અભ્યાસ કરીને પીએચ.ડી. થયા. વ્યવસાય સંદર્ભે સુરતની પારસી પંચાયતમાં હેડકલાર્ક તરીકે સેવારંભ કરીને ૫૦ વર્ષે સંસ્થાના સેક્રેટરી પદે પહોંચેલા આ ચરિત્રલેખકે ‘ભીમજી હાડવૈદ’ (૧૯૪૩), ‘અરદેશર કોટવાળ’ (૧૯૪૬), ‘નસરવાનજી વકીલ’ (૧૯૭૯), બાળસાહિત્ય ‘દેશના દીવા’ (૧૯૬૨) અને ‘માદામ ભીખાઈજી કામા’ (૧૯૮૬) જેવાં ચરિત્રો આપ્યાં છે. જેમાં સુરત શહેરની નામાંકિત વ્યક્તિઓના ગુણસંકીર્તનનો પ્રયાસ રસાળ અને ભાવવાહી શૈલીમાં થયો છે. આ ચરિત્રો રૂપે સુરત શહેરની ઇતિહાસગાથા પણ રચાઈ છે. પારસી પંચાયતના કાર્યાનુભવના આધારે એમણે ‘ગુજરાતના પારસીઓ’ (૧૯૬૯) ઉપરાંત પારસી લોકોની વસતી વિશેનાં પુસ્તકો પણ લખ્યાં છે. મૌલિક લેખન ઉપરાંત એમણે ‘ગુજરાત પારસી પરિષદગ્રંથ’ (૧૯૪૭) ‘સુરત પારસી ઑર્ફનેજ-સુવર્ણજયંતીગ્રંથ’ (૧૯૬૩) ‘સુરત પારસી ઑર્ફનેજ-સાઠ વર્ષો પર ઊડતો દૃષ્ટિપાત : ૧૯૧૨-૧૯૭૨’ (૧૯૭૩) જેવાં સંપાદનો પણ કર્યાં છે



   : : રતન રુસ્તમજી માર્શલના પુસ્તકો : :