વસુધા/નિશિગન્ધાની સુરભિને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નિશિગન્ધાની સુરભિને

જે એકલી બાગ સમસ્ત મારો
ભરી મુકે છે નિજની સુવાસથી.

ગુલાબ ને તે ગુલ કૈં અનેકના
નિશાસમે સૌ ભપકા ન કામના,
તે કામનાં જો શકીએ સૂંઘીચૂંટી.

પરન્તુ આ તો
વસેલ જ્યાં હોય જ ત્યાંથકી યે
બહાર એનો ભરપૂર રેલતી,
મૂકે ભરી આંતર બાહ્ય પ્રાણને.
જરૂર ના તેની કને જવાની, ૧૦
ન સ્પર્શવાની. નહિ ચૂંટવાની,

રાત્રે યદા આશ પ્રકાશકેરી
સરી પડે છે ઉરમાંથી વિશ્વના,
પદાર્થ જે તેજ વિષે સુમોહક
તે ધૂંધળા છાયસ્વરૂપ થૈ રહે,
ત્યારે ય પૃથ્વી ઉર જીવતું છે
જણાવતી જે ભ૨૫ૂ૨ પૂ૨થી
સદા અનિર્વાચ્ય સુવાસકેરા
છે એકલી જે બસ જિન્ગીને ૨૦
પ્રફુલ્લતાથી ભરનાર સુપ્રિયા!

નિશા સમે આ ક્યહીં તું? ક્યહીં હું?
ન જાણીએ તો ય સુવાસ તારી
આવે મને શોધતી, તેમ મારી
આ ભાવના શોધી તને શકે તો
એને ઘડી પા ધરશે ઉરે કે?